હું શોધું છું

હોમ  |

પ્રકીર્ણ
Rating :  Star Star Star Star Star   

અન્ય ઉપયોગી માહિતી

લોકો ઘ્વારા પુછાતાં પ્રશ્નો અને તેના જવાબો

ગુના અન્વેષણ વિભાગ બાબતે લોકો ઘ્વારા સામાન્ય રીતે નીચે જણાવેલ પ્રશ્નો પુછવામાં આવતા હોય છે.

પ્રશ્ન - 1

સી.આઇ.ડી. ક્રાઇમ કેવા ગુનાઓની તપાસ કરે છે ?

જવાબ

સામાન્ય રીતે (૧) રાજય સરકાર (૨) હાઇકોર્ટ (૩) વિજીલન્સ (૪) ડી.જી.પી. ફરમાન કરે તેવા, ચર્ચાસ્પદ, ઉંડાણપૂર્વકની વિગતવાર તપાસ માંગે તેવાં ગુનાઓની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ કરે છે.

પ્રશ્ન-૨

સીઆઇડી ક્રાઇમ તપાસ કેવી રીતે (કોના હુકમથી) સંભાળે છે ?

જવાબ

સીઆઇડી ક્રાઇમ મુખ્યત્વે, (૧) રાજય સરકાર (૨) હાઇકોર્ટ (૩) તકેદારી આયોગ (૪) ડીજીપીશ્રી ના હુકમથી તપાસ સંભાળે છે. ખાસ કિસ્સામાં, અધિક પોલીસ મહાનિદેશકશ્રી, પોતાના હુકમથી (સુઓ મોટો) પણ તપાસ સંભાળી શકે છે.

પ્રશ્ન-૩

સીઆઇડી ક્રાઇમ તપાસ સંભાળે તે માટે કોની પાસે રજુઆત કરવી?

જવાબ

આ માટે સંબધીતે (૧) રાજય સરકાર (૨) હાઇકોર્ટ (૩) તકેદારી આયોગ (૪) ડીજીપીશ્રી નો સંપર્ક કરવાનો રહે છે. ખાસ કિસ્સામાં, સીઆઇડી ક્રાઇમમાં ચોકકસ આધાર સહિતના પુરાવાઓ અને વિગતો સહિતની અરજીઓ બાબતે અધિક પોલીસ મહાનિદેશક તથા ખાસ/નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી તપાસ સંભાળવાનો હુકમ કરી શકે છે.

આ બાબતે વધુ વિગતવાર માહિતી, અત્રેની કચેરી ઘ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુના અન્વેષણ વિભાગ - ફરજો અને કાર્યપધ્ધતિ નામના પુસ્તકમાં છે અને આ પુસ્તક અત્રેની કચેરીના પી.આર.સી. (પોલીસ સંશોધન કેન્દ્ર)માં અવલોકનઅર્થે ઉપલબ્ધ છે.

પ્રશ્ન-૪

સીઆઇડી ક્રાઇમમાં અધિકારીઓ/કર્મચારીઓની નિમણુંક કઇ રીતે કરવામાં આવે છે?

જવાબ

સીઆઇડી ક્રાઇમમાં, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અને તેનાથી ઉપરના દરજજાના અમલદારોની નિમણુંક સરકારશ્રીના ગુહ વિભાગ ઘ્વારા કરવામાં આવે છે. ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર અને પો.સ.ઇ. દરજજાના અધિકારીઓની નિમણુંક પોલીસ મહાનિદેશકશ્રી કરે છે.

એ.એસ.આઇ. / અનાર્મ હે.કો તથા પોલીસ કોન્સ્ટેબલોની નિમણુંક બાબતે કચેરી ઘ્વારા જે તે કર્મચારીઓના નોકરીપત્રક જોઇ તેઓની સ્વચ્છ કારર્કીદી અને ઓછોમાં ઓછી પાંચ વર્ષની નોકરી થયેલ હોય તેઓને પ્રતિનિયુકતિના ધોરણે નિમણુંક આપવામાં આવે છે.

પ્રશ્ન-૫

આર્થિક ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમમાં કયુ એકમ કરે છે અને તેના વડા કોણ છે?

જવાબ

સીઆઇડી ક્રાઇમમાં, આર્થિક ગુના નિવારણ શાખા, આર્થિક ગુનાઓની તપાસ કરે છે. આ એકમના વડા, પોલીસ અધિક્ષકશ્રી, આર્થિક ગુના નિવારણ શાખા - મેધાણીનગર-અમદાવાદ અને ગાંધીનગર વડી કચેરી એમ બન્ને જગ્યાએ તેઓની કચેરીઓ છે.

પ્રશ્ન-૬

કયા પ્રકારના આર્થિક ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરે છે?

જવાબ

આર્થિક ગુનાઓ જેવા કે બેંક ફ્રોડ, કંપનીઓ સાથે મોટી રકમની છેતરપીંડી, એમ.એલ.એમ. (મલ્ટી લેવલ માર્કેટીંગ) કંપનીઓ ઘ્વારા જનતાના નાણાંની છેતરપીંડી બાબતેના કેસો, ખોટા દસ્તાવેજો બનાવી મોટી રકમ મેળવવા માટે કરેલ કાવતરાના કેસો વિગેરે પ્રકારના કેસો કે જેમાં, વિશાળ જનતાનું હિત હોય અને ખૂબ જ મોટી રકમની સંડોવણી થઇ હોય તેવા કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમમાં, આર્થિક ગુના નિવારણ શાખા કરે છે.

પ્રશ્ન-૭

જો સામાન્ય પ્રકારનો આર્થિક ગુનો હોય તો તેની તપાસ માટે શું વ્યવસ્થા છે?

જવાબ

સામાન્ય પ્રકારના આર્થિક ગુનાઓની તપાસ માટે જીલ્લા / કમિશ્નરેટ સ્તરે આર્થિક ગુના નિવારણ શાખા, જે તે સ્થાનિક પોલીસની આંતરીક વ્યવસ્થાથી કાર્યરત છે તેનો સંપર્ક કરી શકાય છે. તેઓને અત્રેની કચેરીના આર્થિક ગુના નિવારણ સેલ ઘ્વારા વખતોવખત તાલિમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

પ્રશ્ન-૮

મહિલા ઉપર અત્યાચારનો બનાવ બનેલ હોય અને સ્થાનિક પોલીસ મદદ ન કરતી હોય તો કોને મળવું ?

જવાબ

સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર ખાતે આવેલ છે. આ કચેરીમાં મહિલા સેલના પોલીસ ઇન્સ્પેકટરને મળી શકાય.

પ્રશ્ન-૯

બાળકો ઉપર અત્યાચારના બનાવો બાબતે સીઆઇડી ક્રાઇમમાં કોઇ વ્યવસ્થાતંત્ર છે?

જવાબ

બાળકો અંગેના ગુનાઓ સબબ કામગીરી અત્રેની કચેરીની મહિલા સેલમાં કરવામાં આવે છે. તેઓ ઘ્વારા રાજયના તમામ જીલ્લાઓ / કમિશ્નરેટમાંથી આવા ગુનાઓની આંકડાકીય માહિતી મંગાવીને વિશ્લેષણ કરવમાં આવે છે. સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર ખાતે મહિલા સેલની કચેરી બેસે છે.

પ્રશ્ન-૧૦

ખોવાયેલ બાળકો અંગે જો સ્થાનિક પોલીસ અસરકારક કામગીરીના કરતી હોય તો કોને મળવુ?

જવાબ

મીંસીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર કે જેઓ સી.આઇ.ડી. ક્રાઇમ, ૪થો માળ, પોલીસ ભવન, ગાંધીનગર ખાતે બેસે છે તેઓને મળવું.

પ્રશ્ન-૧૧

પીઆરસી (પોલીસ સંશોધન કેન્દ્ર)માં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે?

જવાબ

પીઆરસી (પોલીસ સંશોધન કેન્દ્ર)માં કાયદાઓમાં સુધારા વધારા, તેના અમલીકરણ વિગેરે બાબતે કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત આ સેલમાં, એક અગત્યની કામગીરી ગુનાઓ ઉપર સામાજીક અને આર્થિક પરિબળોની અસરો સંબધે સંશોધન કરવાની છે.

પ્રશ્ન-૧૨

કેફી પદાર્થોની માહિતી / બાતમી હોયતો કોને આપવી ?

જવાબ

નારકોટીકસ સેલના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર ખાતે આવેલ છે તેમાં પાંચમા માળે બેસે છે. તેઓને માહિતી અગર બાતમી આપી શકાય.

પ્રશ્ન-૧૩

નારકોટીકસ સેલની કામગીરી શું છે ?

જવાબ

આ સેલમાં, કેફી દ્રવ્યોની હેરાફેરીને લગતા ગુનાઓની આંકડાકીય માહિતી એકત્રીત કરવાની કામગીરી ઉપરાંત આવા ગુનાઓને કાબુમાં રાખવા અને તેની તપાસ કેવી રીતે કરવી અને તપાસ દરમ્યાન શું શું બાબતો ધ્યાનમાં રાખવી તે બાબતે સ્થાનિક પોલીસને માર્ગદર્શન આપવામાં આવે છે.

 

આ સેલ, કેન્દ્ર સરકારના નારકોટીકસ કન્ટ્રોલ બ્યુરો સાથે સંકલનમાં રહી, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનેગારો અને કેફી પદાર્થોની હેરાફેરીની પ્રવૃતિ અટકાવવા બાબતે લાયઝનની કામગીરી કરે છે.

પ્રશ્ન-૧૪

ગુનો કરી આરોપી પરદેશમાં ભાગી જાય તો કોની પાસે માર્ગદર્શન લેવું?

જવાબ

પોલીસ ઇન્સ્પેકટર, ફયુજીટીવ ઇન્વેસ્ટીગેશન યુનિટ, કે જેઓ સી.આઇ.ડી. ક્રાઇમ, ૪થો માળ, પોલીસ ભવન, ગાંધીનગર ખાતે બેસે છે તેઓને મળવું.

પ્રશ્ન-૧૫

ઇન્ટર પોલની મદદ કેવી રીતે મેળવી શકાય?

જવાબ

ઇન્ટર પોલની ભારત ખાતેની વડી કચેરી નવી દિલ્હી ખાતે સ્થિત છે. જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, સી.જી.ઓ. કોમ્પલેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી ની કચેરી ખાતે ઇન્ટર પોલ વિંગ માં આવેલી છે. ઇન્ટરપોલની મદદ અત્રેની કચેરીમાં આવેલ ફયુજીટીવ ઇન્વેસ્ટીગેશન યુનિટ ધ્વારા મેળવી શકાય.

પ્રશ્ન-૧૬

રેડ કોર્નર નોટીસ શું છે?

જવાબ

ઇન્ટરપોલના ૧૮૧ સભ્ય દેશો પૈકી ગમે તે દેશમાં સ્થિત ગુનેગાર/આરોપીને પકડવા માટે સક્ષમ કોર્ટ ધ્વારા ધરપકડ માટેનું ખુલ્લુ વોરંટ, રેડ કોર્નર નોટીસ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન-૧૭

એકસ્ટ્રાડીકશન શું છે?

જવાબ

એકસ્ટ્રાડીકશન સરળ ગુજરાતી ભાષામાં પ્રત્યાર્પણ તરીકે ઓળખાય છે. પ્રત્યાર્પણ એટલે દા.ત. ભારત દેશનો આરોપી/ગુનેગર અન્ય સભ્ય દેશમાં ભાગી ગયો હોય તો તેની વિરૂધ્ધ અદાલત કામ ચલાવવા માટે મેળવવામાં આવતી શારિરીક હાજરી અને વિદેશી સરકારની મંજૂરી એકસ્ટ્રાડીકશન એટલે કે પ્રત્યાર્પણ.

પ્રત્યાર્પણ સંધિ( એકસ્ટ્રાડીકશન એગ્રીમેન્ટ) ઇન્ટરપોલ દેશો વચ્ચે જ એક બીજાના આરોપી/ગુનેગારોની સોંપણી સંભવ છે. હાલ ઇન્ટરપોલના કુલ ૧૮૧ સભ્ય દેશો છે. પરંતુ પ્રત્યાર્પણ સંધી- બે દેશો વચ્ચેી આપસની સમજૂતી છે.

પ્રશ્ન-૧૮

આંતર રાજય ગુનેગારો બાબતે કોને માહિતી આપવી?

જવાબ

(૧) આંતર રાજય ગુનેગારો અંગે- સબંધિત રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કોન્ફરન્સ મળે છે. ત્યારે તે અંગેના નિર્ણયો લેવાય છે.

(૨) પરંતુ આ બાબતે અત્રેના ક્રીમીનલ ઇન્ટેલીજન્સ સેલમાં માહિતી આપી શકાય છે.

પ્રશ્ન-૧૯

સ્થાનિક પોલીસ કોઇ ગુનામાં સી.આઇ.ડી.ક્રાઇમની મદદ મેળવવા માટે શું ઉપાય છે?

જવાબ

જે તે જીલ્લા પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશ્નરશ્રીએ સી.આઇ.ડી.ક્રાઇમની મદદ મેળવવા માટે લેખિત વિનંતી (૧) જે તે ઝોનના નાયબ પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી.ક્રાઇમ (૨) સબંધિત પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી.ક્રાઇમ (૩) અથવા અધિક પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી.ક્રાઇમને કરવાની રહે છે.

પ્રશ્ન-૨૦

સી.આઇ.ડી.ક્રાઇમનું ગુના વિશ્લેષણ એકમ શું કામગીરી કરે છે?

જવાબ

સમગ્ર ગુજરાત રાજયમાં દર મહીને બનતા ગુનાઓનું હેડવાઇઝ/જીલ્લાવાઇઝ વિશ્લેષણ કરે છે અને ગુનાઓ અટકાવવા સારૂ માર્ગદર્શન અને સુચનાઓ આપે છે.

માહિતી મેળવવા અંગે --

અરજી બાબતે - આ માટે અરજદારે સંબધીત મદદનીશ સરકારી અધિકારી (પ્રકરણ - ૮માં તેઓનો વિગતવાર ઉલ્લેખ છે)તેઓને ઉદેશીને નિયતનમુનામાં અરજી કરી શકે છે.

ફી ની વિગતો --

  • માહિતી માટે અરજી દીઠ ફી રૂા. ૫૦/- અન્ય ફીની વિગતો

  • અરજીના અનુસંધાને જે રૂા. ૫ (દરેક પાના દીઠ) દસ્તાવેજ આપવાના થતા હોય તેની ફી (સ્ટેશનરી અને નકલચાર્જ)

  • કોરી સી.ડી. તથા ફલોપી રૂા. ૨૫ (દરેક સીડી/ફલોપી દીઠ)

  • સી.ડી. તથા ફલોપી રાઇટ કરવાનો ચાર્જ રૂા. ૨૫ (જયારે માહિતી સીડી/ફલોપી ઉપર (દરેક સીડી/ફલોપી દીઠ જરૂર હોય ત્યારે)

નોંધ - -

    1. ઉકત કોલમ નં (બી) અને (ડી)માં જણાવેલ માહિતી જયારે લેખિત અગરતો સોફટ કોપીમાં જરૂર હોય ત્યારે જે તે કોલમમાં જણાવેલ ફી ઉપરાંત અરજદારે અરજી ફી તરીકે રૂા. ૫૦ ચૂકવવાના રહેશે.

    2. જયારે વિજાણુસ્વરૂપે કોઇ માહિતી લેવાની હોય અને અરજદાર પોતાની પાસેના સ્ટોરેજ ડીવાઇસીસ જેવા કે, પેન ડ્રાઇવ, યુએસબી હાર્ડડીસ્ક વિગેરે લઇને આવશે તો, અરજી ફી સિવાય વધારાની ફી લેવામાં આવશે નહી.

    3. જો અરજદાર બીપીએલ (ગરીબી રેખા હેઠળનું) કાર્ડ ધરાવતો હશે તો તેણે કોઇ ફી ચુકવવાની રહેતી નથી

માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે -

જયારે મદદનીશ માહિતી અધિકારીશ્રી કે માહિતી અધિકારીશ્રી ઘ્વારા માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે કે આ બાબતે કોઇ વાંધો કે તકરાર હોયતો એપેલેટ અધિકારી તરીકે, અત્રેની કચેરીના વડા, અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે, કે જેઓ પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર ખાતે પાંચમા માળે બેસે છે તેઓનો સંપર્ક કરી શકાશે. તેઓનો ફોન નંબર ૦૭૯ - ૨૩૨૨૪૪૦૨ અને ફેકસ નં. ૦૭૯ - ૨૩૨૫૩૯૧૭ છે. તેઓનું ઇમેઇલ એડ્રેસ cor-crime@gujarat.gov.in  છે.

સીઆઇડી ક્રાઇમ ઘ્વારા લોકોને અપાતી તાલિમ બાબત -

સરકારશ્રી ઘ્વારા નકકી કરેલ કાર્યો અને ફરજો સબબ, સીઆઇડી ક્રાઇમ ઘ્વારા લોકોને તાલિમ આપવાની કોઇ જોગવાઇ નથી.

નિયમ સંગ્રહ-૧૩માં સમાવિષ્ઠ ન કરાયેલા હોય તેવા, સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આપવાના પ્રમાણપત્રો, ના-વાંધા પ્રમાણપત્ર -

સરકારશ્રી ઘ્વારા નકકી કરેલ કાર્યો અને ફરજો સબબ, સીઆઇડી ક્રાઇમ ઘ્વારા લોકોને કોઇ પ્રમાણપત્રો કે ના-વાંધા પ્રમાણપત્રો આપવાની કામગીરી કરવામાં આવતી નથી.

નોંધણી પ્રક્રિયા બાબતે -

સીઆઇડી ક્રાઇમમાં નોંધણી બાબતેની કોઇ પ્રક્રિયા થતી ન હોઇ માહિતી નીલ છે.

કર ઉધરાવવા બાબતે -

સીઆઇડી ક્રાઇમમાં કર ઉધરાવવા બાબતે કોઇ પ્રક્રિયા થતી ન હોઇ માહિતી નીલ છે.

વિજળી / પાણીનાં હંગામી અને કાયમીજોડાણો આપવા અને કાપવા અંગે -

આ બાબતે કોઇ પ્રક્રિયા અત્રેની કચેરીમાંથી થતી ન હોઇ માહિતી નીલ છે.

સીઆઇડી ક્રાઇમ ઘ્વારા પુરી પાડવામાં આવતી અન્ય સેવાઓની વિગત -

અત્રેની કચેરીની અન્ય સેવાઓ પુરી પાડવા માટેની માહિતી નીલ છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 21-12-2006